Gujarat Ni Vaat

આયર્લેન્ડ સામે વૈભવ બહાર કેમ? વિવાદ વધતા ભારતીય કોચે આપ્યો સ્પષ્ટ જવાબ

Share On :

CRICKET NEWS: તાજેતરમાં જ T20 વર્લ્ડ કપ જીતીને વિશ્વ ચેમ્પિયન બનેલી ભારતીય ક્રિકેટ ટીમને આયર્લેન્ડ પ્રવાસ પર એક મોટો અને આઘાતજનક ઝટકો લાગ્યો છે. આયર્લેન્ડ જેવી પ્રમાણમાં નબળી ગણાતી ટીમ સામે ભારતીય ટીમને T20 સીરિઝમાં શરમજનક વ્હાઇટવોશ (શ્રેણી હાર) નો સામનો કરવો પડ્યો છે. રવિવારે રમાયેલી સીરિઝની બીજી મેચમાં ભારતીય ટીમ માત્ર એક રનથી રોમાંચક હારનો ભોગ બની હતી. આ પરાજય સાથે જ ભારતીય ક્રિકેટ જગતમાં અને ચાહકોમાં ટીમની પસંદગી અને રણનીતિ સામે અનેક સવાલો ઊભા થયા છે.

વૈભવ સૂર્યવંશીને તક ન મળતા સોશિયલ મીડિયા પર હોબાળો

આયર્લેન્ડ સામેની મેચોમાં ભારતીય બેટિંગ લાઇન-અપ ફ્લોપ સાબિત થતાં, સોશિયલ મીડિયા અને ક્રિકેટ વિવેચકોમાં એ વાતની ભારે ચર્ચા જાગી હતી કે ટીમ સાથે ગયેલા 15 વર્ષના તોફાની અને પ્રતિભાશાળી બેટ્સમેન વૈભવ સૂર્યવંશીને પ્લેઇંગ ઇલેવનમાં રમવાની તક કેમ ન આપવામાં આવી? ક્રિકેટ ફેન્સનું માનવું હતું કે મુશ્કેલ સમયમાં વૈભવ જેવા આક્રમક બેટ્સમેનનું ડેબ્યૂ ટીમ માટે એક્સ-ફેક્ટર સાબિત થઈ શક્યું હોત.

આસિસ્ટન્ટ કોચ રાયન ટેન ડોશેટે આપી સ્પષ્ટતા

ચોતરફથી ઊઠી રહેલા સવાલો વચ્ચે ભારતીય ક્રિકેટ ટીમના આસિસ્ટન્ટ કોચ રાયન ટેન ડોશેટે પ્રેસ કોન્ફરન્સમાં આ મુદ્દે પોતાનું મૌન તોડ્યું છે. તેમણે વૈભવ સૂર્યવંશીની અસાધારણ બેટિંગ ક્ષમતાના મુક્તમને વખાણ કર્યા હતા, પરંતુ તેને પ્લેઇંગ ઇલેવનમાં સામેલ ન કરવા પાછળનું તાર્કિક કારણ પણ રજૂ કર્યું હતું. રાયન ટેન ડોશેટે જણાવ્યું હતું કે, વૈભવ સૂર્યવંશી આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમવા માટે સંપૂર્ણપણે તૈયાર છે, તેમાં કોઈ જ શંકા નથી. તેની પાસે અદ્ભુત ટેલેન્ટ છે. પરંતુ આ 15 વર્ષીય બેટ્સમેનને પણ તે જ સિસ્ટમ અને પ્રક્રિયામાંથી પસાર થવું પડશે જે ટીમના અન્ય ખેલાડીઓએ પોતાના આંતરરાષ્ટ્રીય ડેબ્યૂ પહેલા અનુસરી હતી.”