ગંભીર ભાઈ, આવી હાર માટે તો સ્પેશિયલ ટેલેન્ટ જોઈએ! આયર્લેન્ડ ક્રિકેટ બોર્ડે ઉડાવી ભારતીય કોચની મજાક
Nirali Vyas
Published on:
Share On :
CRICKET NEWS: આયર્લેન્ડ પ્રવાસે ગયેલી ભારતીય ક્રિકેટ ટીમ માટે આ ટૂર એક ખરાબ સ્વપ્ન સમાન સાબિત થઈ છે. શ્રેયસ અય્યરની આગેવાની હેઠળની ભારતીય ટીમે બીજી T20 મેચમાં પણ માત્ર 1 રનથી હારનો સામનો કરવો પડ્યો છે. આ સાથે જ ભારતે આંતરરાષ્ટ્રીય ક્રિકેટના ઇતિહાસમાં પ્રથમ વખત આયર્લેન્ડ સામે 0-2થી દ્વિપક્ષીય T20 સિરીઝ ગુમાવી દીધી છે. વર્લ્ડ ચેમ્પિયન અને T20 રેન્કિંગમાં નંબર-1 પર રહેલી ભારતીય ટીમની આ નાલેશી બાદ હેડ કોચ ગૌતમ ગંભીરની રણનીતિઓ પર ગંભીર સવાલો ઉઠી રહ્યા છે.
આ શરમજનક પ્રદર્શન બાદ સોશિયલ મીડિયા પર પોતાના મજેદાર અને ધારદાર કટાક્ષ માટે જાણીતા ‘આઇસલેન્ડ ક્રિકેટે’ હેડ કોચ ગૌતમ ગંભીર પર તીખો હુમલો કર્યો છે. તેમણે ‘X’ પર પોસ્ટ શેર કરતા લખ્યું કે, “અમે સ્પષ્ટ કરી શકીએ છીએ કે અમે ગૌતમ ગંભીરને અમારા કોચિંગ સ્ટાફમાં સામેલ કરવા માંગતા નથી. જો કે, તેમનામાં ટેલેન્ટ દેખાઈ રહ્યું છે. આટલા દિગ્ગજ ભારતીય ખેલાડીઓ હોવા છતાં આયર્લેન્ડમાં આવા રિઝલ્ટ લાવવા માટે ખરેખર અદ્ભુત ટેલેન્ટની જરૂર પડે છે.”બીજી T20 મેચમાં ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા આયર્લેન્ડે હેરી ટેક્ટરની શાનદાર અડધી સદી (53 રન) ની મદદથી 20 ઓવરમાં 8 વિકેટે 154 રન બનાવ્યા હતા.
ભારત તરફથી પ્રિન્સ યાદવે ઘાતક બોલિંગ પ્રદર્શન કરતા 4 ઓવરમાં 22 રન આપી 3 વિકેટ ઝડપી હતી, જ્યારે શિવમ દુબે અને અર્શદીપ સિંહે 2-2 વિકેટ લીધી હતી.155 રનના લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી ભારતની બેટિંગ લાઇન-અપ પત્તાના મહેલની જેમ વિખેરાઈ ગઈ હતી. ઓપનર સંજુ સેમસન અને અભિષેક શર્મા ખાતું ખોલાવ્યા વિના જ શૂન્ય રને આઉટ થયા હતા. મધ્યક્રમમાં તિલક વર્માએ 46 બોલમાં 55 રનની લડાયક ઇનિંગ રમી હતી, પરંતુ તેઓ ટીમને જીતાડી શક્યા નહીં. ભારત 20 ઓવરમાં 153 રન જ બનાવી શક્યું અને મેચ 1 રનથી ગુમાવી દીધી.
આયર્લેન્ડ તરફથી જય મૂન્દ્રા અને મેટ હોલાર્ડે 3-3 વિકેટ ઝડપી ભારતને ઘૂંટણિયે લાવી દીધું હતું.આયર્લેન્ડ ક્રિકેટ માટે આ સમય સુવર્ણ અક્ષરે લખાશે, કારણ કે પુરુષ ટીમના વિજયના 24 કલાકમાં જ બ્રિસ્ટલ ખાતે રમાયેલા વિમેન્સ T20 વર્લ્ડ કપમાં આયર્લેન્ડની મહિલા ટીમે વેસ્ટ ઈન્ડિઝને 6 વિકેટે હરાવીને નવો ઈતિહાસ રચ્યો છે.
ગંભીર ભાઈ, આવી હાર માટે તો સ્પેશિયલ ટેલેન્ટ જોઈએ! આયર્લેન્ડ ક્રિકેટ બોર્ડે ઉડાવી ભારતીય કોચની મજાક
Nirali Vyas
Share On :
CRICKET NEWS: આયર્લેન્ડ પ્રવાસે ગયેલી ભારતીય ક્રિકેટ ટીમ માટે આ ટૂર એક ખરાબ સ્વપ્ન સમાન સાબિત થઈ છે. શ્રેયસ અય્યરની આગેવાની હેઠળની ભારતીય ટીમે બીજી T20 મેચમાં પણ માત્ર 1 રનથી હારનો સામનો કરવો પડ્યો છે. આ સાથે જ ભારતે આંતરરાષ્ટ્રીય ક્રિકેટના ઇતિહાસમાં પ્રથમ વખત આયર્લેન્ડ સામે 0-2થી દ્વિપક્ષીય T20 સિરીઝ ગુમાવી દીધી છે. વર્લ્ડ ચેમ્પિયન અને T20 રેન્કિંગમાં નંબર-1 પર રહેલી ભારતીય ટીમની આ નાલેશી બાદ હેડ કોચ ગૌતમ ગંભીરની રણનીતિઓ પર ગંભીર સવાલો ઉઠી રહ્યા છે.
આ શરમજનક પ્રદર્શન બાદ સોશિયલ મીડિયા પર પોતાના મજેદાર અને ધારદાર કટાક્ષ માટે જાણીતા ‘આઇસલેન્ડ ક્રિકેટે’ હેડ કોચ ગૌતમ ગંભીર પર તીખો હુમલો કર્યો છે. તેમણે ‘X’ પર પોસ્ટ શેર કરતા લખ્યું કે, “અમે સ્પષ્ટ કરી શકીએ છીએ કે અમે ગૌતમ ગંભીરને અમારા કોચિંગ સ્ટાફમાં સામેલ કરવા માંગતા નથી. જો કે, તેમનામાં ટેલેન્ટ દેખાઈ રહ્યું છે. આટલા દિગ્ગજ ભારતીય ખેલાડીઓ હોવા છતાં આયર્લેન્ડમાં આવા રિઝલ્ટ લાવવા માટે ખરેખર અદ્ભુત ટેલેન્ટની જરૂર પડે છે.”બીજી T20 મેચમાં ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા આયર્લેન્ડે હેરી ટેક્ટરની શાનદાર અડધી સદી (53 રન) ની મદદથી 20 ઓવરમાં 8 વિકેટે 154 રન બનાવ્યા હતા.
ભારત તરફથી પ્રિન્સ યાદવે ઘાતક બોલિંગ પ્રદર્શન કરતા 4 ઓવરમાં 22 રન આપી 3 વિકેટ ઝડપી હતી, જ્યારે શિવમ દુબે અને અર્શદીપ સિંહે 2-2 વિકેટ લીધી હતી.155 રનના લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી ભારતની બેટિંગ લાઇન-અપ પત્તાના મહેલની જેમ વિખેરાઈ ગઈ હતી. ઓપનર સંજુ સેમસન અને અભિષેક શર્મા ખાતું ખોલાવ્યા વિના જ શૂન્ય રને આઉટ થયા હતા. મધ્યક્રમમાં તિલક વર્માએ 46 બોલમાં 55 રનની લડાયક ઇનિંગ રમી હતી, પરંતુ તેઓ ટીમને જીતાડી શક્યા નહીં. ભારત 20 ઓવરમાં 153 રન જ બનાવી શક્યું અને મેચ 1 રનથી ગુમાવી દીધી.
આયર્લેન્ડ તરફથી જય મૂન્દ્રા અને મેટ હોલાર્ડે 3-3 વિકેટ ઝડપી ભારતને ઘૂંટણિયે લાવી દીધું હતું.આયર્લેન્ડ ક્રિકેટ માટે આ સમય સુવર્ણ અક્ષરે લખાશે, કારણ કે પુરુષ ટીમના વિજયના 24 કલાકમાં જ બ્રિસ્ટલ ખાતે રમાયેલા વિમેન્સ T20 વર્લ્ડ કપમાં આયર્લેન્ડની મહિલા ટીમે વેસ્ટ ઈન્ડિઝને 6 વિકેટે હરાવીને નવો ઈતિહાસ રચ્યો છે.
રાજપાલ યાદવની મુશ્કેલીઓ વધી : દિલ્હી હાઈકોર્ટે ચેક બાઉન્સ કેસમાં સજા યથાવત રાખી
જ્યાં ટાવર નથી પહોંચતા ત્યાં BSNL પહોંચાડે છે: ₹1.34 લાખના આ ખાસ ફોન વિશે જાણો શું છે ખાસ?
Google પર સૌપ્રથમ શું સર્ચ થયું? : જવાબ જાણીને તમે પણ ચોંકી જશો
જગન્નાથ ભક્તો માટે મોટી ખુશખબર : દિલ્હીમાં પ્રથમવાર યોજાશે 12 દિવસનો ભવ્ય રથયાત્રા મહોત્સવ
સદીનું સૌથી લાંબુ સૂર્યગ્રહણ: 2027માં 6 મિનિટ માટે સુરજ દાદા થશે ઓઝલ!